મોંમા દાંત ન હોય એવી વ્યક્તિ પણ ખાઈ શકે આ વસ્તુ,

રાજકોટનું રાષ્ટ્રીય ફરસાણ કહો તો વાંધો નહીં

રાજકોટવાસીઓને ગાંઠિયા બહું પ્રિય હોય છે. આ ગાંઠિયા હવે જગવિખ્યાત બન્યા છે.

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાજકોટના ગાંઠિયાના વખાણ કર્યા હતા.

રાજકોટવાસીઓ ખાણીપીણીના શોખીન હોય છે.

મોમાં મૂકતાની સાથે જ પોચા પોચા રૂ જેવા લાગતા અહિંના ગાંઠિયા જગવિખ્યાત છે

રંગીલા રાજકોટના લોકોની સવાર જલેબી-ફાફડા સાથે તથા

તીખા-મોરા ગાંઠિયા સહિતના ફરસાણ સાથે સાંજ પડે છે સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ફરસાણ ખવાય છે, એવું માનવામાં આવે છે

રાજકોટના દરેક નાની મોટી શેરીઓમાંથી હજારો કિલો ફરસાણનો ઉપાડ થાય છે

મોટાભાગે લોકો સેવ, પાપડી, બુંદી, તીખા ગાંઠિયા, મોરા ગાંઠિયા અને ચવાણા સહિતની દરેક વસ્તુની ખરીદીને સફાચટ કરી જાય છે.

રાજકોટમાં કોઈ પણ વ્યક્તિના ઘરે જાવ એટલે તમને નાસ્તાના ડબ્બામાં તમને ગાંઠિયા તો જોવા મળે છે

આમ, રાજકોટ અને ફરસાણ એકબીજાના પુરક છે. અહીંયાની ફરસાણની દુકાનોમાં ગરમ ગરમ ગાઠિયા ખાવા લોકોની લાઈન લાગે છે.

અહિંયાના ગાંઠીયાનો સ્વાદ જેની દાઢે વળગે છે, એને પછી બીજે ક્યાંયના ગાંઠિયા ભાવતા નથી.

જેના મોઢામાં દાંત ન પણ હોય એવી વ્યક્તિ પણ આ ગાંઠિયાને આરામથી ખાઈ શકે છે.

રાજકોટમાં નાના બાળકો હોય કે મોટા વડીલ હોય

દરેક લોકોને જલેબી-ફાફડા તથા ગાંઠિયા સહિતના ફરસાણ અતિપ્રિય હોય છે.