ગળતેશ્વર મંદિર પ્રાચીન શિવ મંદિર છે,

ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર નજીક ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામ નજીક આવેલું છે

૧૨મી સદીનું આ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે,

જે મધ્ય ભારતની માળવા શૈલીમાં પરમાર સ્થાપત્યની અસર વગર અને ચૌલુક્ય (સોલંકી) સ્થાપત્યની અસર હેઠળ બંધાયેલું છે.

તે ચોરસ ગર્ભગૃહ અને અષ્ટકોણીય મંડપ ધરાવે છે.

આ મંદિર બે નદીઓ, મહી નદી અને ગળતી નદીના સંગમ પર સરનાલ ગામની નજીક આવેલું છે

ગળતી નદી પરથી મંદિરનું નામ પડ્યું છે

ગળતેશ્વરનું મંદિર ભુમિજા શૈલીનું છે, જે ગુજરાતમાં લગભગ જોવા મળતી નથી

મંદિરનું ગર્ભગૃહ મંડપ કરતા નીચું છે અને અંદરની બાજુથી ચોરસ છે

બહારની દીવાલ ગોળાકાર છે અને અનેક ખૂણાઓ સાથે ૨૪ ફીટનો વ્યાસ ધરાવે છે.

ગર્ભગૃહના દ્વાર પર આબુ શૈલીના રૂપસ્થંભની કોતરણી કરેલ છે

આ શિલ્પો અને કોતરણીઓમાં ગાંધર્વો, ઘોડેસ્વારો, હાથીસવારો, રથ, જીવનથી મૃત્યુની ઘટમાળો વગેરેનો સમાવેશ થાય છે.

દર વર્ષે જન્માષ્ટમી અને શરદ પૂર્ણિમાના દિવસે ગળતેશ્વરમાં મેળો ભરાય છે

મહાશિવરાત્રીએ પણ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

ગળતેશ્વર મંદિર પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયું છે

આ મંદિર પુરાણકથાઓમાં વર્ણવાયેલા ગાલવ ઋષિ અને રાજા ચંદ્રહાસની સાથે સાંકળવામાં આવે છે