ત્યારે અમદાવાદ શહેરમાં પ્રેમીઓ માટે ખાસ લગનિયા હનુમાનજી મંદિર આવેલું છે. અહીં પ્રેમી પ્રેમિકા લગ્ન કરવા આવે છે.
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલું જય શ્રી દાદા હનુમાન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લગનિયા હનુમાનજીનું મંદિર વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે.
ભૂકંપ પછી તમામ કોર્ટ મેઘાણીનગર વિસ્તારમાં શિફ્ટ થઈ ગઈ હતી. તે સમયે અહીં હનુમાનજીનું એક નાનું મંદિર હતું.
ત્યાર બાદથી આ મંદિરમાં લગ્ન થવા લાગ્યા.લગ્નની પરમીશન મળતા લોકો લગ્ન કરવા અહીં કોર્ટમાં આવતા અને હનુમાનજીના દર્શન કરી ગૃહસ્થાશ્રમની શરૂઆત કરતા.
પરંતુ આ મંદિરમાં આજે પણ લગ્ન કરાવી આપવાની પ્રથા ચાલુ છે. આ મંદિરમાં હિન્દુ-મુસ્લિમ લગ્ન પણ થાય છે. કારણ કે આ મંદિરમાં કોઈ જાતિ કે ધર્મનો ભેદભાવ રાખવામાં આવતો નથી.
ત્યારથી અહીં લગ્ન કરવાનો આરંભ થયો હતો. 2004 થી લઈને અત્યાર સુધીમાં લગભગ 15 હજારથી વધુ દંપતી લગ્નગ્રંથિથી જોડાયા છે. આ મંદિરે લગ્ન કરનાર દંપતીના મેરેજ સફળ પણ થાય છે
આઈડી પ્રૂફ, લિવિંગ સર્ટિફિકેટ, બે સાક્ષી અને તેમના આઈડી પ્રૂફ વગેરે કાર્યાલયમાં જમા કરાવવું પડે છે.
તથા વિદેશથી આવતા કપલ માટે અહીં એનઆરઆઈ ફોર્મ પણ ભરાવવામાં આવે છે. લગ્ન વિધિ પૂરી થયા બાદ સંસ્થા તરફથી મેરેજ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.