રાષ્ટ્રધ્વજ વિશે આ વાતો ભાગ્યે જ જાણતાં હશો

આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રધ્વજમાં 3 રંગ હોવાના કારણે તેને ત્રિરંગો કહેવામાં આવે છે

શું તમે એ જાણો છો કે તેની સાઈઝ શું હોય છે, તેને કોણે તૈયાર કર્યો હતો,

તેમાં કયા કપડાંનો ઉપયોગ કરી શકાય? ના ને. તો જાણી લો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલી આવી જ અન્ય વાતો.

રાષ્ટ્રધ્વજ આંધ્રપ્રદેશના પિંગલી વૈંકૈયાએ બનાવ્યો હતો.

રાષ્ટ્રધ્વજ હંમેશા લંબચોરસ શેપમાં અને 3:2ના માપનો હોવો જોઈએ. અશોકચક્રનું કોઈ માપ નથી પણ તેમાં 24 આકા હોવા જરૂરી છે.

ત્રિરંગો કોટન, સિલ્ક કે ખાદીમાંથી જ બનાવી શકાય છે.

પ્લાસ્ટિકના ત્રિરંગા બનાવવાની મનાઈ છે.

સંસદ ભવન દેશનું એકમાત્ર ભવન છે જ્યાં 3 રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે.

યુનિફોર્મ, કોઈ ચીજ ઢાંકવા કે પછી બોટ, પ્લેન, નંબરપ્લેટ વગેરે જગ્યાએ રાષ્ટ્રધ્વજ યૂઝ કરી શકાશે નહીં.

રાષ્ટ્રધ્વજની બરોબર કે તેનાથી ઉપર અન્ય કોઈ ફ્લેગ લગાવી શકાય નહીં.

2009માં રાષ્ટ્રધ્વજને રાતે લહેરાવવાની પરવાનગી આપવામાં આવી.

રાંચીનું પહાડી મંદિર એકમાત્ર મંદિર છે જ્યાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે.

જ્યારે કોઈ શ્રોતા બોલતા હોય ત્યારે તેનું મોઢું જનતા તરફ અને તેમની જમણી તરફ રાષ્ટ્રધ્વજ હોવો જોઈએ.

રાષ્ટ્રીય શોકમાં રાષ્ટ્રધ્વજને ઝૂકાવી દેવામાં આવે છે

પણ એ જ ભવનનો ધ્વજ જ્યાં પાર્થિવ શરીર રાખવામાં આવ્યું હોય.