આરોગ્યથી પરિપૂર્ણ ફળ નારંગી

નારંગી ઠંડી, તન અને મનને પ્રસન્નતા આપનાર ફળ છે.

નારંગીનું સેવન એક તરફ શરદીમાં રાહત પહોંચાડે છે,

તો બીજી તરફ સૂકી ખાંસીમાં ફાયદો કરે છે. તે કફને પાતળું કરી બહાર કાઢે છે.

નારંગીમાં પ્રચૂર પ્રમાણમાં વિટામિન સી, આયર્ન અને પોટેશિયમ હોય છે

નારંગીનો એક ગ્લાસ રસ તન-મનને શીતળતા પ્રદાન કરી થાક અને તાણ દૂર કરે છે

પેટમાં ચૂંકની ફરિયાદ થતા નારંગીનાં રસમાં બકરીનું દૂધ મેળવી પીવાથી ખૂબ ફાયદો થાય છે.

ભારે તાવમાં નારંગીનાં રસનું સેવન કરવાથી શરીરનું તાપમાન ઓછુ થઈ જાય છે

નારંગીનાં સેવનથી દાંતો અને પેઢાનાં રોગો પણ દૂર થાય છે.

હૃદય રોગનાં દર્દીને નારંગીનો રસ મધ મેળવી આપવાથી આશ્ચર્યજનક ફાયદો મળે છે.

નાના બાળકો માટે તો નારંગીનો રસ અમૃત સમાન છે.

જ્યારે બાળકોનાં દાંત આવતા હોય, ત્યારે તેમને વૉમિટ થતી હોય છે તેવા સમયે નારંગીનો રસ આપવાથી તેમની બેચેની દૂર થાય છે અને પાચન શક્તિ પણ વધે છે.