રોજ સવારે એક મુઠ્ઠી ફણગાવેલા ચણા ખાશો તો દરેક રીતે સ્વસ્થ રહેશો

ફણગાવેલા ચણામાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, મિનરલ, અને વીટામિન્સ વધુ માત્રામાં હોય છે.

ચણાને રાત્રે ફણગાવીને સવારે ખાલી પેટે લેવાથી ડાયાબીટીસમાં પણ રાહત થાય છે.

પલાળેલા ચણામાં ફાઈબરની માત્રા પણ ખુબ વધારે હોય છે.

અંકુરિત ચણા ખાવા સૌથી વધુ ફાયદારૂપ છે.

અંકુરિત ચણા શરીરની માંસપેશીઓને તાકાતવર બનાવે છે અને શરીર એકદમ વ્રજ સમાન બનાવે છે

ચણા ખૂબ જ પૌષ્ટિક છે.

તે પચવામાં હળવા, ઠંડા, રંગ સુધારનાર અને બળવર્ધક છે.

પલાળેલા ચણા, ફણગાવેલા ચણા તાકાત અને એનર્જીનો મોટો સ્રોત છે.

રોજ પલાળેલા ચણા ખાવાથી કમજોરી દૂર થાય છે