ભારતમાં એક એવું શહેર છે જ્યાંથી તમને પાડોશી દેશ શ્રીલંકા દેખાશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ એકમાત્ર લેન્ડ બોર્ડર છે.
ટ્રાવેલર્સમાં ધનુષકોડિ જવાનો ક્રેઝ હવે વધી રહ્યો છે.
અને અહીં અંધારામાં જવાની મનાઈ છે. સાંજે લગભગ પાંચ વાગ્યા પછી અહીં કોઈ નથી જતું.
કારણકે આ જગ્યા થોડી ડરામણી અને રહસ્યોથી ભરપૂર છે. અને ધનુષકોડી ફરવા માટે 3-4 કલાક પૂરતાં છે.
ધનુષકોડી પણ એક પ્રખ્યાત ટૂરિસ્ટ પ્લેસમાં શામેલ હતું અને અહીં અનેક તીર્થસ્થાનો હતા.
આ વાવાઝોડામાં લગભગ 1800 લોકોનાં મોત થયા હતા અને શહેરના લગભગ તમામ ઘરો ધરાશયી થઈ ગયા હતા.
‘ઘોસ્ટ ટાઉન’ તરીકે ઓળખાતા આ શહેરમાં વાવાઝોડાના લગભગ 53 વર્ષ પછી ધીરે ધીરે લોકોની અવર જવર શરુ થઈ છે.
અહીં બીચ પર તમે આરામથી બેસી શકો છો અને શાંતિનો અનુભવ કરી શકશો. અહીં તમને નાસ્તા અને ચા-પાણીની એકાદ નાની દુકાન મળી જશે.