ઓઝોન લેયર આપણી સુરક્ષા કેવી રીતે કરે છે, જાણો…

ઓઝોન એક ગેસનું નાજુક લેયર છે. જે સૂર્યમાંથી નીકળતા ખતરનાક પારજાંબલી વિકિરણોથી પૃથ્વી પરના બધા જીવોનું રક્ષણ કરે છે.

આમ તો સૂર્યનો પ્રકાશ જીવનનું પોષણ કરે છે, એનો પ્રકાશ જીવનમાં ઊર્જા ભરી દે છે

પણ એનાં કિરણો જો ઓઝોન લેયર વિના સીધા પડે તો જીવન માટે હાનિકારક પણ છે.

આ સ્તર ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરે છે.

સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે. જે જીવન માટે મોટો ખતરો ઉભો કરે છે.

ઓઝોન સ્તરના ઘટાડાનું મુખ્ય કારણ માનવ પ્રવૃત્તિ છે

જેમાં મુખ્યત્વે માનવસર્જિત રસાયણોનો સમાવેશ થાય છે જેમાં ક્લોરિન અથવા બ્રોમિન હોય છે.

ઓઝોન સામાન્ય તાપમાન અને દબાણે વાયુ સ્વરૂપમાં હોય છે.

ઓઝોન (O3 અથવા ત્રિપ્રાણવાયુ) ત્રણ પ્રાણવાયુ પરમાણુથી બનેલો એક ત્રિઆણ્વિક અણુ છે.