જાણો ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ

હિંદુ શાસ્ત્રો અનુસાર શ્રી ગણેશ ને સુખ અને આનંદનું પ્રતિક માનવામાં આવે છે.

આ સાથે તેમને વિઘ્નોનો નાશ કરનાર માનવામાં આવે છે.

આ કારણથી વાસ્તુ અનુસાર ગણેશજીની તસવીર અથવા મૂર્તિને મુખ્ય દરવાજાની પાસે રાખવી શુભ માનવામાં આવે છે

ઘરમાં ગણેશજીની મૂર્તિ લાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે

તે બેસવાની કે લેટવાની મુદ્રામાં હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર લલિતાસનમાં બેઠેલા ગણેશનું ચિત્ર અથવા મૂર્તિ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કારણ કે તે શાંત અને અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે

તમે ઇચ્છો તો ગણેશજીની મૂર્તિને લેટેલી સ્થિતિમાં લાવી શકો છો. કારણ કે ગણેશજીની આવી મુદ્રા વિલાસિતા, આરામ અને સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે.

ગણપતિજીની મૂર્તિ ઘરમાં લાવતી વખતે ધ્યાનમાં રાખો કે ગણેશજીની સૂંઢ કઈ દિશામાં છે.

ગણેશજીની મૂર્તિની સૂંઢ ડાબી તરફ ઝુકેલી હોવી જોઈએ. કારણ કે તે સફળતા અને સકારાત્મકતા દર્શાવે છે.

ગણપતિજીની મૂર્તિ ઘરે લાવતા હો તો મોદક અને ઉંદર હોવા જ જોઈએ.

કારણ કે મોદક એ ગણપતિજીનો સૌથી પ્રિય ભોગ માનવામાં આવે છે અને ઉંદર તેમનું વાહન છે.