રાંધણ છઠ એ તહેવાર શીતળા સાતમનો એક ભાગ છે. જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે
રસોઈ માટે એક મહત્વપૂર્ણ દિવસ હોવાને કારણે, આ દિવસને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે.
રાધણ છઠ એ સ્વતંત્ર તહેવાર નથી. આ તહેવાર શીતળા સાતમનો એક ભાગ છે. જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે.
સાતમના દિવસે શિતળાની પૂજા કરી તેને ઘઉં કે બાજીરીના લોટની કુલેરનો પ્રસાધ ધરાવી પૂજા કરવામાં આવે છે.
સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવો નહી એવી માન્યતા છે.
તેથી શીતળા સાતમના દિવસે ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગે છે.