પ્રાણાયામ તન અને મનને સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે અને પાચન ક્રિયાને સુધારે છે.
પ્રાણાયામ માટે સૂર્યોદયનો સમય સૌથી યોગ્ય માનવામાં આવ છે.
આ આસન કરવા માટે આસપાસની જગ્યા ખુલ્લી તેમજ હવાની અવરજવર સરળતાથી થઈ શકે, તેવી હોવી જોઈએ
પ્રાણાયામ કરવા માટે ચટાઈનો ઉપયોગ કરો. ચટાઈ પાથરીને તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ મુદ્રામાં બેસો.
બેસતી વખતે કમર અને ગળું એક જ રેખામાં રાખો અને આંખો બંધ કરી દો. .
પ્રાણાયામ કરતી વખતે તમારું બધું ધ્યાન તમારા શ્વાસ ઉપર કેન્દ્રિત કરો. પ્રાણાયામ કરતી વખતે શ્વાસ અંદર અને શ્વાસ બહાર કાઢવાની તમને પ્રેક્ટિસ કરવી પડશે.
આ પ્રક્રિયા 1 મિનિટમાં 9થી 10 વખત કરો. સરેરાશ દસથી પંદર મિનિટ પ્રાણાયામ કરવાથી તમારી દિનચર્યા બરાબર રહેશે અને તમારી જીવનશક્તિમાં પણ વધારો થશે
જો તમે કંઇક ખાધું હોય, તો પ્રાણાયામ 4 કલાક પછી જ કરવા જોઈએ.