સુગરી એક એવું પક્ષી છે કે પોતાનું કામ ધીરજ, લગન અને કુનેહથી કરે છે
માળામાં બે ખાના હોય જેમાં નીચલા ખાનામાં બચ્ચાં ઉપલા ખાનામાં પોતે રહે છે.
ઘણી વખત એવું થતું હોય છે કે આજની યુવા પેઢી સુગરી પક્ષીને ન ઓળખી ન શકે પણ સુગરીના માળાને જરૂર ઓળખી જાય છે.
નર માં પીળો કલર ઘાટો હોય છે તથા ચાંચ ની નીચેનો ભાગ ઘાટો બ્રાઉન હોય છે. તથા પાંખ પર બ્રાઉન કલર ની પટ્ટીઓ હોય છે.
તેનો કલાપૂર્ણ માળો લોકો ઘરની શોભા માટે લઈ જતા હોય છે.
જેથી તે લટકતાં અને વજનમાં હલકાં માળા શિકારી પક્ષીઓ તેમજ સાપથી બચી શકે.
માળા વણવા માટે તેઓને નજીકમાંથી ચોક્કસ પ્રકારના રેસાવાળા પામ જેવા વૃક્ષ જોઈએ છે
આ અદભુત આવડત તેમનાં લોહીમાં વણાયેલી હોય છે વિચાર કરોકે તેમને પહેલી ગાંઠ મારતા કોણ શીખવાડતું હશે અને બીજો કોઈ જીવ કે ટેક્નોલોજી વણી ન શકે તેવો માળો ગૂંથતા કોણ શીખવાડતું હશે!