સરળતાથી ઉપલબ્ધ એવા ફૂદીના થી થાય છે આવા અનેક ફાયદા..

ચટણી માં નાખવાના મસાલા રૂપે વપરાતો ફુદીનો વાતહર ઔષધિ તરીકે ખૂબ જાણીતો છે

ફુદીનામાં ખૂબ શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે.

પાંદડાનો રસ કાઢી શકાય છે અથવા રાયતું પણ બનાવવામાં આવે છે.

ફુદીનો, તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો પીવાથી વાયુ દૂર થાય છે અને ભૂખ ખૂબ લાગે છે.

ફુદીનાનો તાજો રસ અથવા અર્ક કફ-શરદીમાં તેમજ મગજ ની શરદી માટે અતિ ઉપયોગી છે

ફુદીનો કીટાણુનાશક હોય છે

જો ઘરની ચારે તરફ ફુદીનાના તેલનો છંટકાલ કરી દેવામાં આવે તો માખી, મચ્છર, કીડી વગેરે કીટાણુઓ ભાગી જાય છે

ત્વચા પરથી ખીલ દૂર કરે છે.

ફુદીનાના પાનને પીસીને તેનો લેપ કરવાથી, સ્ટીમ લેવાથી, ખીલ, ચહેરા પરની કરચલીઓ અને ડાઘામાં રાહત મળે છે.

ફુદીનો ગમે ત્યારે રોપી શકાય પણ વરસાદ ગયા પછી રોપવો સારો છે.

તેના છોડ માંથી એક પ્રકારની સુંદર સુવાસ આવે છે. ઘર આંગણામાં કે કુંડામાં ફુદીનાના છોડને સહેલાઈથી ઉગાડી શકાય છે.

ફુદીનો ઉનાળામાં સારો ફાલે છે

ફુદીનાના પાન સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ શીતળ અને સ્ફુર્તિદાયક માનવામાં આવ્યા છે.