મુનસર તળાવ સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહની માતા, મીનળદેવી દ્વારા બાંધવામાં આવેલું તળાવ છે.

આ તળાવ અમદાવાદ નજીક વિરમગામ ખાતે આવેલું છે.

તેનું નામ માન સરોવર તરીકે રાખવામાં આવ્યું હતું,

પરંતુ અપભ્રંશ કારણે તે વ્યાપકપણે મુનસર તરીકે ઓળખાય છે.

આ તળાવ ઇ.સ. ૧૦૯૦ દરમિયાન ૨૨૦ યાર્ડના ગોળાકાર આકારમાં બનાવવામાં આવ્યું હતું.

તે શંખ અને મંદિરો જેવો આકાર ધરાવે છે

અહીં મરાઠાઓ દ્વારા બનાવવામાં આવેલ મુનસારી માતાનું મંદિર છે.

આ તળાવ વિશાળ કોતરવામાં આવેલા પથ્થરથી ઘેરાયેલું છે અને ૩૦૦થી વધુ નાના-મોટા મંદિરો આવેલા છે.

તળાવની એક બાજુના દરેક મંદિરમાં એક બેઠક છે,

સંભવત કૃષ્ણની મૂર્તિ માટે છે, અને બીજી બાજુ એક ગોળ કથરોટ, જલાધાર, સંભવત શિવને સમર્પિત છે.

પાણીના ધાર સુધી જતા માર્ગના બંને બાજુ, એક મોટું મંદિર છે

જેમાં દ્વિમંડપ અને શિખર છે અને તળાવની આજુ બાજુ સપાટ છતવાળી સ્તંભમાળા છે

આશરે અડધો કિમીમાં ફેલાયેલા આ તળાવને ફરતે ૩૬૫ મંદિર છે.

તળાવમાં પાણીની આવજા માટેની યોગ્ય વ્યવસ્થા છે અને પાણીની સપાટી સુધી પગથિયાંવાળા ઘાટ બાંધવામાં આવેલા છે.

આ તળાવ સહસ્રલિંગની પ્રતિકૃતિ સમાન છે,

પરંતુ કદમાં નાનું છે. આ તળાવનો આકાર શંખાકૃતિ જેવો છે.