અળસીનાં બીજ ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. આ બીજ હૃદયને માટે હિતકારી છે.
અળસીના બીજમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ યાદશક્તિને સુધારે છે,
વાળની વૃદ્ધિને ઉત્તેજન આપે છે તેમ જ નખને સ્વસ્થ, સુંદર રાખે છે.
અળસીના બીજ શરીરમાં રક્ત શર્કરાના પ્રમાણને જાળવવામાં મદદ કરે છે.
દાહ-બળતરાનો સામનો કરવાની શક્તિ આપે છે
કોઈ રોગની દવા લેતાં હોવ તો અળસીના બીજ લેતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ લઈ લો.