ઓમકારેશ્વર હિંદુ દેવ શિવ ને સમર્પિત એક મંદિર છે.

ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું આ એક છે. આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે

કહેવાય છે કે આ ટાપુનો આકર ॐ જેવો છે.

અહીં બે મંદિરો આવેલા છે, ઓમકારેશ્વર (ઓમકારના ભગવાન) અને અમરેશ્વર (અમર દેવોના ભગવાન).

મહાદેવના આ ચમત્કારિક અને રહસ્યમય જ્યોતિર્લિંગ વિશે એવું પણ માનવામાં આવે છે કે

આ પવિત્ર તીર્થમાં જળ ચઢાવ્યા વિના વ્યક્તિની તમામ તીર્થયાત્રાઓ અધૂરી માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતા અનુસાર, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની આસપાસ કુલ 68 તીર્થસ્થાનો આવેલા છે

ઉજ્જૈન મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મ આરતીની જેમ ઓમકારેશ્વર મંદિરની શયન આરતી વિશ્વ પ્રસિદ્ધ છે

મહાશિવરાત્રીના અવસરે આ મંદિરમાં શિવભક્તોની ભારે ભીડ દર્શન અને પૂજા માટે ઉમટી પડે છે.

ઓમકારેશ્વર મંદિર વિશે એવી માન્યતા છે કે અહીંયા દર્શન અને પૂજા કરવાથી વ્યક્તિના તમામ પાપ દૂર થઈ જાય છે.