ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, શેતૂર સ્વાસ્થ્ય ગુણધર્મથી ભરેલું માનવામાં આવે છે.
શેતુર આયર્ન અને વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે.
શરદીમાં શેતૂર ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શરદીની સમસ્યાને શેતૂરના ઉપયોગથી ટાળી શકાય છે
આ સાથે તે કિડની માટે પણ ખૂબ ફાયદાકારક છે. લીવરને સ્વસ્થ રાખવા માટે શેતૂર કામ કરી શકે છે.
શરીરે કોઈ જગ્યા પર ખંજવાળ આવતી હોય તો તેના પાન પીસીને લગાવવાથી પણ રાહત મળે છે.