પાટણની પંચમુખી હનુમાન ગુરુગાદી શક્તિ, ભક્તિ અને સાધનાનું કેન્દ્ર

પાટણમાં આવેલી પંચમુખી હનુમાન ગુરૂગાદી શ્રદ્ધાળુઓ માટે વર્ષોથી આસ્થાનું કેન્દ્ર રહી છે.

700 વર્ષ પૂર્વે આ સૂમસામ જગ્યા માનવ-વસ્તી વિહોણી હતી-

પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તાર માં આવેલી અઘોરી બાવાના અખાડાની જગ્યામાં પંચમુખી હનુમાન ગુરુગાદી આજે પણ લોકોમાં ભક્તિ અને શક્તિનું કેન્દ્ર છે.

આ મંદિરના ઈતિહાસ ઉપર એક નજર કરીએ તો

આજથી અંદાજે 700 વર્ષ પૂર્વે આ સૂમસામ જગ્યા માનવ-વસ્તી વિહોણી હતી અને લોકોની અવરજવર પણ નહિવત હતી.

તેવા સમયે અઘોરી પંથના તપસ્વી હરન્યાલ ગીરી મહારાજ આ જગ્યા ઉપર આવી પહોંચ્યા હતા

તેવા સમયે અઘોરી પંથના તપસ્વી હરન્યાલ ગીરી મહારાજ આ જગ્યા ઉપર આવી પહોંચ્યા હતા

ઘણા વર્ષો સુધી આ પવિત્ર જગ્યા ઉપર ઘોર તપશ્ચર્યા કર્યા બાદ

તેઓએ આ સ્થળે જીવિત સમાધિ લીધી હતી.

આ ગાદી ઉપર અત્યાર સુધીમાં 11 અઘોરીઓ એ તપસ્યા કરી શ્રદ્ધાળુઓના દુઃખ-દર્દ હર્યા છે

જેમાં હરન્યાલગીરી, પુરણગીરી, ન્યાલગીરી, ફૂલગીરી, સ્વરૂપગીરી, રામગીરી, હનુમાનગીરી, સરસ્વતી ગીરી, શંકરગિરી, કાશીગીરી હતા.

છેલ્લે નર્મદાગીરી મહારાજ 10 વર્ષની નાની ઉંમરે જ ગાદીપતિ બન્યા હતા.

તેઓ પોતાની આધ્યાત્મિક શક્તિની સુવાસ ચારેય બાજુ પ્રસરાવી 113 વર્ષની ઉંમરે તારીખ 3 ફેબ્રુઆરી 2008ના રોજ આ નશ્વરદેહનો ત્યાગ કરી પરમાત્મામાં લીન થયા હતા.

પાટણ શહેર સહિત પંથકમાં પંચમુખી હનુમાન દાદાનું એક જ મંદિર હોવાથી

મંદિર ખાતે વિવિધ ધાર્મિક તહેવારોની હર્ષોલ્લાસ સાથે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવે છે