પરાશર સરોવર એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું કુદરતી સરોવર છે.
જેનું નિર્માણ ૧૪મી સદીમાં મંડી રિયાસતના રાજા બાણસેને કરાવ્યું હતું
જેને સ્થાનિક ભાષામાં ટાહલા કહેવાય છે.
પથ્થરો અને લાકડાની કડીઓની મદદથી અનન્ય અને અમૂલ્ય કલાકારી કરી પરંપરાગત શૈલીમાં આ મંદિરની દિવાલો બનાવવામાં આવેલ છે.
આ કોતરકામમાં દેવતાઓ, સાપ, વૃક્ષો, છોડ, ફૂલો, વેલો-પાન, માટીકામ અને પક્ષીઓના પ્રાદેશિક કસબ વડે બનાવાયેલાં ચિત્રો છે.
આશરે ૫૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. મંડીથી અહીં પહોંચવા માટે ખાનગી વાહનો બે કલાકથી વધુ સમય લે છે.
આ દુર્ગમ ભૂપ્રદેશ કારણે વધુ લોકો અહીંની મુલાકાતે આવતા નથી. અહીં સમગ્ર વર્ષ દરમિયાન આવી શકાય છે.