પીએમ મોદીએ પોતાના નિવાસસ્થાન પર દીપ પ્રગટાવ્યો,

પ્રતિષ્ઠા પછી પીએમ મોદીએ સાંજે પીએમ આવાસ પર દીપ પ્રગટાવ્યા હતા.

PM એ ભગવાન રામની પ્રતિમા આગળ દીપ પ્રગટાવી ઉજવણી કરી હતી.

પીએમ મોદીએ આ પ્રસંગે ટ્વિટ કર્યું હતું કે આજે રામ લલા અયોધ્યા ધામમાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે.

ઉત્તર પ્રદેશમાં સરયુ નદી પર લાખો દીપ પ્રગટાવ્યા હતા.

ગુજરાતમાં પણ નગરો, મહાનગરો, ગામોમાં ઠેરઠેર દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે સંઘ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને

દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા.

પ્રભુ શ્રી રામ 500 વર્ષ બાદ અયોધ્યા પધાર્યા છે ત્યારે

માનનીય વડાપ્રધાનની અપીલના પ્રતિસાદરૂપે સમગ્ર ગુજરાતમાં નાગરિકો દિપોત્સવ મનાવી રહ્યા છે.

નેપાળમાં જનકપુરમાં પણ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા.

દેશભરમાં ગામે ગામમાં મંદિરમાં ઉજવણી કરવામાં આવી હતી.

કાઢવામાં આવી હતી અને

રાત્રે દિપ પ્રગટાવી ઉજવણી કરી હતી.

આચાર્ય નરેન્દ્ર ગિરીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઠોર તપસ્યા કરી અને તેઓ તપસ્વી છે

પ્રધાનમંત્રીએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં મંદિરોની મુલાકાત લીધી હતી.