રામ ઝુલા એક લોખંડ સસ્પેન્શન બ્રિજ છે, જે ગંગા નદી પર આવેલ છે.

ઋષિકેશ શહેર ખાતેથી ઉત્તર-પૂર્વ દિશામાં ૩ કિલોમીટર (૧.૯ માઈલ) અંતરે આ પુલ આવેલ છે.

૧૯૮૬મા વર્ષમાં બાંધવામાં આવેલ આ સેતુ ઋષિકેશ ખાતેનાં પ્રતિષ્ઠિત સીમાચિહ્નો પૈકીનું એક છે.

આ સ્થળે ઘણા હિંદુ આશ્રમો અને ધાર્મિક કેન્દ્રો સ્થાપિત ગંગા નદીની બંને બાજુઓ પર સ્થિત છે

આ પુલ લક્ષ્મણ ઝુલા સમાન ડિઝાઇન ધરાવે છે,

છતાં તેના કરતાં મોટો છે અને તે 2 kilometres (1.2 mi) આ નદીનો પ્રવાહના ઉપરવાસમાં છે

આ પુલ ૭૫૦ ફુટ (૨૩૦ મી) જેટલા ગાળામાં બાંધવામાં આવેલ છે.

આ ઝુલા સેતુ મુનિ કી રેતી ખાતેના શિવાનંદ આશ્રમને ગીતા ભવન, પરમાર્થ નિકેતન અને સ્વર્ગાશ્રમ ખાતેનાં અન્ય મંદિરોને પણ સાથે જોડે છે

ઋષિકેશ ની મુલાકાતે આવતા પ્રવાસી ઓ અહીં ચોક્કસ આવે છે

રાત્રીના સમયે રંગબેરંગી લાઈટો સાથે પુલ નો નજારો અલગ છે