નડાબેટ ખાતે ઇન્ડો-પાક આંતરરાષ્ટ્રીય સરહદ પર ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી

આજે સમગ્ર દેશ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર તેની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

બોર્ડર સિક્યોરિટી ફોર્સના આઈ.જી. અભિષેક પાઠકે

બનાસકાંઠામાં આવેલા નડાબેટ ખાતેની ઇન્ડો-પાક આંતરરાષ્ટ્રીય સરહદ પર તિરંગો ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

દિવસ રાત ખડેપગે દેશની સરહદ પર મુસ્તેદીથી ફરજ નીભાવતી

બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા 75માં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

આજે 75મા ગણતંત્ર દિવસ પ્રસંગે ભારત-પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય સરહદ પર

બી.એસ.એફ.ના આઈ.જી. અભિષેક પાઠકે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.

દેશભક્તિના માહોલ વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ પર ઉજવાયેલા 75 ગણતંત્ર દિવસ પ્રસંગે

જવાનોએ તિરંગાને શાનથી સલામી આપી હતી.

આ પ્રસંગે બી.એસ.એફ.ના આઈ.જી.દ્વારા જવાનોને મીઠાઈ આપવા ઉપરાંત

સીમવર્તી વિસ્તારની શાળાના બાળકોને ચોકલેટ અને મીઠાઈનું વિતરણ કરાયું હતું.

ત્યાર બાદ BSFના જવાનો દ્વારા બાઇક રેલી યોજાઈ હતી.

ભારત-પાકિસ્તાન સરહદે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક સહિત અન્ય રાજ્યમાંથી આવેલા પ્રવાસી લોકોએ કાર્યક્રમને અદભૂત ગણાવ્યો હતો.

આજે સમગ્ર દિવસ દરમિયાન નડાબેટ ખાતે

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.