શિવજીને પ્રિય બિલિપત્ર સ્વાસ્થ્ય માટે પણ છે ખૂબ જ ફાયદાકારક

બિલિ પત્રના ત્રણ પાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ દેવનું પ્રતીક હોવાનું માનવામાં આવે છે

બિલિ વૃક્ષના મૂળ, પાન, ફળ અને વૃક્ષના બધા જ ભાગ વિવિધ રોગોના ઉપચારમાં ઉપયોગી છે.

આ પવિત્ર વૃક્ષ પેઢામાંથી લોહી નીકળતુ હોય, ડાયેરિયા, અસ્થમા, કમળો, લોહીની ઉણપ જેવા અનેક રોગોમાં ખૂબ જ મદદરૂપ છે

આંખ અને કાનના રોગોમાં પણ બિલિફળ ઘણું અસરકારક છે.

બિલિ ફળમાં એવા તત્વો હોય છે જે લોહીમાં શુગરનું પ્રમાણ કંટ્રોલમાં રાખે છે

બિલિમાં એવા તત્વો છે જેમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ રહેલા છે

અને તે પેટમાં પડેલા ચાંદામાં ઘણી રાહત આપે છે.

આ ઉપરાંત તે શ્વસનતંત્રના રોગ, શરદી વગેરેમાં પણ ખૂબ જ ફાયદાકારક પુરવાર થાય છે.

તેના ફળનો માવો નહાતા પહેલા માથામાં લગાવવામાં આવે તો શરદીથી છૂટકારો મળે છે.