અતિ રમણીય અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવું કચ્છનું સફેદ રણ.
ઉનાળાના અંત અને ચોમાસાની શરૂઆતના દિવસોમાં 50 બાય 250 કિ. મી.ના રણમાં ઠેર ઠેર દરિયાના પાણી ફરી વળે છે
સફેદ રણમાં ખારૂ પાણી રહી પછી ખુલ્લા રણમાં પવનની જોરદાર તાકાતથી કંરટ પેદા થાય છે અને તેથી દલદલી જમીન પર મીઠું પાકે છે
આ ચીકાશ સાથેનુ મીઠું જયારે ઠંડી પડે ત્યારે જામી જાય છે અને તેથી સફેદ રણ સર્જાય છે.
દુનિયાભરથી લોકો ભારતના મોહક મીઠાના રણની મુલાકાત લેવા માટે આવે છે.
ઘણાં મુસાફરો પૂનમના ચંદ્રની ચાંદનીમાં મીઠાના સફેદ રણને જોવા અહીં આવે છે.