વરાણા ખાતે 15 દિવસીય લોકમેળાનો પ્રારંભ,

લાખોની સંખ્યામાં ભાવિકો કરશે ખોડીયાર માતાના દર્શન

વઢિયાર પંથકમાં સમી તાલુકાના વરાણા ગામે

મહા સુદ એકમથી મહા સુદ પૂનમ સુધી સતત પંદર દિવસ ખોડીયાર માતાજીના મંદિર પરિસર ખાતે મેળો ભરાય છે.

મીની કુંભ મેળા તરીકે ઓળખવામાં આવે છે.

આ મેળામાં ખાણીપીણીના સ્ટોલ, મનોરંજનના સાધનો,તેમજ વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટેના સ્ટોલ હોય છે.

પંદર દિવસ ચાલનારા આ મેળામાં

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખોડીયાર માતાના દર્શન કરવા માટે ઉમટી પડે છે. અને મેળામાં મોજ માણી ચીજવસ્તુઓની ખરીદી કરે છે

ખાસ કરીને આ વિસ્તારમાં જેના ઘરે સંતાનમાં પ્રથમ દીકરાનો જન્મ થયો હોય

તેવા લોકો તલ અને ગોળની સાની બનાવી વાજતે-ગાજતે માતાજીના મંદિરે આવે છે અને બાધા માનતા પૂર્ણ કરે છે.

મહા સુદ એકમથી મહા સુદ પૂનમ સુધી ચાલનારા આ મેળામાં

વઢીયાર પંથક ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવશે.

વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર,

વરાણા ખોડીયાર ધામ ખાતે લોકો તલની સાનિનો પ્રસાદ કરે છે

જેમાં અંદાજિત 20 લાખથી વધુ યાત્રિકો દર્શન કરવા માટે પહોંચે છે.

ઐતિહાસિક અને ભવ્ય મેળાની અંદર માં ખોડીયારના દર્શન કરવા સમગ્ર દેશ અને વિદેશની અંદરથી લોકો પહોંચે છે.