જેની ઉંચાઇ ૪૫૮ મીટર છે. તે જિલ્લાના મુખ્ય શહેર ભુજથી ૯૭ કિમી દૂર આવેલો છે અને સૌથી નજીકનું શહેર ખાવડા છે.
આ જગ્યા પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી તેની ટોચ પર લશ્કરી થાણું છે; તેની આગળ માત્ર લશ્કરના વ્યક્તિઓ જ જઇ શકે છે
માગસર સુદ પૂનમના દિવસે અહીં દત્તાત્રેય જયંતિની ઉજવણી થાય છે.
રણોત્સવની શરૂઆત સાથે જ આ કાળો ડુંગર સફેદ રણ આસપાસનો સૌથી શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યો છે.
આ પાછળનું કારણ છે અહીંની જમીનમાં રહેલા મેગ્નેટિક ફિલ્ડ. લદાખ બાદ કચ્છના આ કાળો ડુંગર પર જ આ મેગ્નેટિક હિલનો અનુભવ કરવા મળે છે.