ઘરે-ઘરે રામ જ્યોત પ્રજવલીત કરવાની તૈયારી થઈ રહી છેઃ પીએમ મોદી
તે આજે પરિપૂર્ણ થયું થયું છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે
મંદિરમાં ભગવાનના દર્શન માટે ઉપસ્થિત મહેમાનો, સાધૂ સંતો તથા દેશવાસીઓને સંબોધન કર્યું હતું.
આપ સૌને પ્રમાણ.. આપ સૌને રામ-રામ, આજે આપણા રામ આવી ગયા છે. સદીઓના પ્રતિક્ષા બાદ આપણા રામ આવી ગયા છે.
આપણા રામલલ્લા હવે ટેન્ટમાં નહીં રહે, હવે આપણા રામલલ્લા હવે દિવ્ય મંદિરમાં રહેશે.
22 જાન્યુઆરી 2024નો આ સૂરજ એક અદ્ભૂત આભા લઈને આવ્યો છે, આ કેલેન્ડર પર લખેલી એક તારીખ નહીં એક નવા કાળચક્રનો ઉદ્ગમ છે.
આજે આપણને સદીઓના ધૈર્યની ધરોહર મળી છે. આજે આપણને શ્રી રામનું મંદિર મળ્યું છે.
આખો દેશ આજે દિવાળી મનાવી રહ્યો છે. આજે સાંજે ઘરે-ઘરે રામ જ્યોત પ્રજવલીત કરવાની તૈયારી થઈ રહી છે.