દેશમાં ૫૦૦ વર્ષ કરતાં વધુના સંઘર્ષ પછી કરોડો હિન્દુઓ જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગઈ છે.
પીએમ મોદીએ રવિવારે સમુદ્રનું જળ હાથમાં લઈને પ્રાર્થના કરી અને અર્ધ્ય આપ્યું. હવે પીએમ મોદી આજે સવારે અયોધ્યા મંદિર પહોંચશે અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે
અયોધ્યા શહેરમાં ‘શુભ ઘડી આયી’, ‘તૈયાર હૈ અયોધ્યા ધામ, વિરાજેગેં શ્રીરામ’ અને ‘અયોધ્યા મેં રામ રાજ્ય’ જેવા સૂત્રોચ્ચાર ગુંજી રહ્યા છે.
૧૨,૦૦૦ જેટલા વિશેષ આમંત્રિત મહેમાનોનું અયોધ્યામાં આગમન શરૂ થઈ ગયું છે
હિન્દુ સમાજની 500 વર્ષની તપસ્યા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના નવા અને દિવ્ય મંદિરમાં બિરાજવા જઈ રહ્યા છે.
કારણ કે જે ભક્તો સાડા પાંચસો વર્ષથી પોતાના ઇષ્ટદેવના દર્શનની રાહ જોઈ રહ્યા છે તેમને તેમના જીવનની સૌથી મોટી ભેટ મળવાની છે.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવત રામલલાના અભિષેક સમારોહમાં હાજરી આપશે.
મહેમાનો આવવાનું શરૂ થઈ ગયું છે અને સ્ટેજ એક ઐતિહાસિક પ્રસંગ માટે તૈયાર થઈ ગયો છે.આજે સવારે 10 વાગ્યાથી મંદિરમાં મંગલ નાદ ગુંજશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે