અમદાવાદથી અયોધ્યાની પહેલી ફ્લાઇટે ભરી ઉડાન,

જય શ્રી રામ'ના નારાથી ગૂંજી ઉઠ્યું એરપોર્ટ

જે માટે રામભક્તોમાં ભારે ઉત્સાહ છવાયો છે.

22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે.

જેને પગલે આખા દેશમાં ખુશીનો માહોલ છવાયો છે.

ત્યારે આજે સવારે અમદાવાદથી અયોધ્યા માટેની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી છે. આ ઉડાન પહેલા અમદાવાદ એરપોર્ટ પણ રામમય બની ગયુ હોય તેવો માહોલ છવાયો હતો.

એરપોર્ટ પર મુસાફરોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવીને કેક પણ કાપી હતી.

એરપોર્ટ પર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા સાથે ભક્તોનું સ્વાગત પણ કરાયુ હતુ.

આ ફ્લાઇટમાં 150 શ્રદ્ધાળુઓ અયોધ્યા જઇ રહ્યા છે.

અમદાવાદ એરપોર્ટ પરથી રામભક્તોને લઇને ઇન્ડિગોની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી છે.

અમદાવાદથી અયોધ્યાનુ ભાડુ 12થી 13 હજાર રૂપિયા છે.

બુધવારે એટલે કે, 10 જાન્યુઆરીથી ઈન્ડિગો એરલાઈન્સની દિલ્હીથી ફ્લાઇટ શરૂ થઇ હતી.

આ ફ્લાઇટ દ્વારા રામ ભક્તોને દિલ્હીથી અયોધ્યા અને અયોધ્યાથી દિલ્હી લાવશે.

30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને મહર્ષિ વાલ્મીકિના નામ પર નામ આપવાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે.

આ દિવસે મોટી સંખ્યામાં VVIP મહેમાનોની સાથે ભક્તો પણ અહીં આવી પહોંચશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર તમામ ભક્તો માટે ખોલવામાં આવશે.