પાટણમાં રેવડિયો મેળો એટલે કે પદ્મનાભ મેળામાં રવાડીના દર્શનનું અનેરૂ મહત્વ

ભગવાન પદ્મનાભ ના કારતક સુદ ચૌદસ થી કારતક વદ પાંચમ સુધી સાત મેળા રાતના સમયે શ્રી હરિ ની યાદ માં ભરાય છે

આ મેળાને રેવડીનયો મેળો પણ કહેવામાં આવે છે.

કારણ કે ભગવાનને ગોળ તલ માંથી બનાવેલ રેવડી ની પ્રસાદ ધરાવવામાં આવે છે

પાટણ જેવી ધર્મનગરી મા પવિત્ર એવી પ્રજાપતિ જ્ઞાતિમાં વિક્રમ સંવત 1458 ને ચૈત્ર સુદ પાંચમે

શિવજીના વંશજ માં માતાશ્રી લક્ષ્મીદેવી( લખમા) અને પિતાશ્રી કરણદેવ ને ત્યાં પદ્મનાભ ભગવાનનો જન્મ થયેલો

નિરંજન નિરાકાર જ્યોત સ્વરૂપ દિવ્ય રવાડી અહીં ભગવાનની નીકળે છે

પ્રથમ જ્યોત ગણપતિની નીકળે છે તે જગ્યામાં જ વિરામ પામે છે.બીજી રવાડી જ્યોત શ્રી પદ્મનાભ ભગવાનની નીકળે છે તે નરસિંહજી મંદિરે આવે છે અને ત્યાં સભાના સ્વરૂપમાં વિરામ પામે છે

જ્યોતના દર્શન કરવા ઉમટે છે મહેરામણ

આ ચારેય વાડી જ્યોત ના દર્શન કરવા હરિભક્તો ઉમટી પડે છે અને આ જ્યોતના દર્શન કરી ભક્તો ધન્ય બને છે

આ ઉપરાંત મેળાના પ્રથમ દિવસે

સમાજના નવપરણિત દંપત્તિઓ રાત્રિના સમયે પદ્મનાભ મંદિરથી ઘર સુધી સાત ફેરા ફરે છે

અને પ્રથમ મેળા ના દિવસે માનતા સ્વરૂપે દીવા પ્રગટાવતા પ્રગટાવતા લોકો જાય છે.

પાટણ માં આ મેળાનું વિશેષ મહેત્વ રહેલું છે

સપ્તરાત્રી મનાવાય છે મેળો

પદ્મનાભ ભગવાનની વાડીમાં ઉજવાતા સપ્તરાત્રી મેળામાં રવાડી પ્રગટાવવાનો મહિ‌મા છે.