ગુજરાતમાં એક એવું રહસ્યમય મંદિર આવેલું છે. જ્યાંથી પસાર થતી દરેક ટ્રેન ઉભી રહે છે અને માતાજીને યાદ કરીને સલામી ભરે છે.
રેલવે સ્ટેશનથી બુટભવાની મંદિર થોડા જ અંતરે આવેલું છે.
ત્યારે લોથલ, ભુરખી અને હડાળા ભાલ વચ્ચે આવેલા અરણેજ ગામ પાસે ઇજનેરો અને રેલમજૂરોને વિવિધ વિચિત્ર અનુભવો થયા હતા
રેલલાઇન નંખાઈ ગઈ અને જ્યારે ગાડીનો ટ્રાયલ લેવાનો સમય આવ્યો ત્યારે ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા હતા.
આ જમીન કોઈ પવિત્ર મહાત્મય ધરાવે છે.’બ્રાહ્મણો પાસે જમીનનો ઈતિહાસ કઢાવ્યો
અંગ્રેજો સ્થાનની પવિત્રતા સમજી ગયા અને રેલ લાઈન શરૂ કરતા પહેલાં અરણેજ બુટભવાની માતાજીને સવા રૂપિયો, નાળિયેર અને ચૂંદડી ધરાવ્યા અને વર્ષાસન બાંધી આપ્યું
અને માતાજીના આ સ્થાનકનું મહત્વ વધી ગયું હતું. અરણેજ ગામના સીમાડેથી ટ્રેન પસાર થાય ત્યારે વ્હીસલ વગાડીને સલામ કરીને જાય છે.
દર પૂનમે મોટી સંખ્યામાં માઈભક્તો અહીં દર્શન માટે આવે છે. 11 એકરમાં ફેલાયેલા આ મંદિર સાથે માઈભક્તોની અતૂટ આસ્થા રહેલી છે.