અરણેજનું બુટભવાની માતાજીનું ચમત્કારિક મંદિર,

ગુજરાતમાં એક એવું રહસ્યમય મંદિર આવેલું છે. જ્યાંથી પસાર થતી દરેક ટ્રેન ઉભી રહે છે અને માતાજીને યાદ કરીને સલામી ભરે છે.

અરણેજમાં છેલ્લા 500 વર્ષથી બુટભવાની માતાજીના નામે શક્તિની પૂજા કરવામાં આવે છે.

રેલવે સ્ટેશનથી બુટભવાની મંદિર થોડા જ અંતરે આવેલું છે.

અંગ્રેજોના સમયમાં ભાવનગર બોટાદ અને ધંધુકા થઈ અમદાવાદ જવા માટે રેલવેલાઇનનું કામ ચાલતું હતું

ત્યારે લોથલ, ભુરખી અને હડાળા ભાલ વચ્ચે આવેલા અરણેજ ગામ પાસે ઇજનેરો અને રેલમજૂરોને વિવિધ વિચિત્ર અનુભવો થયા હતા

અંગ્રેજ ઇજનેરો આ વાત સમજી શકતા નહોતા.

રેલલાઇન નંખાઈ ગઈ અને જ્યારે ગાડીનો ટ્રાયલ લેવાનો સમય આવ્યો ત્યારે ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા હતા.

આવું વારંવાર બન્યું એટલે લોકો અને ઇજનેરોને લાગ્યું કે,

આ જમીન કોઈ પવિત્ર મહાત્મય ધરાવે છે.’બ્રાહ્મણો પાસે જમીનનો ઈતિહાસ કઢાવ્યો

અને જાણવા મળ્યું કે આ જગ્યાએ બુટભવાની માતાજીનો વાસ છે.

અંગ્રેજો સ્થાનની પવિત્રતા સમજી ગયા અને રેલ લાઈન શરૂ કરતા પહેલાં અરણેજ બુટભવાની માતાજીને સવા રૂપિયો, નાળિયેર અને ચૂંદડી ધરાવ્યા અને વર્ષાસન બાંધી આપ્યું

માતાજીને આ પ્રસાદ ધરાવ્યા પછી રેલ લાઈનમાં કોઈ રૂકાવટ આવી નહોતી

અને માતાજીના આ સ્થાનકનું મહત્વ વધી ગયું હતું. અરણેજ ગામના સીમાડેથી ટ્રેન પસાર થાય ત્યારે વ્હીસલ વગાડીને સલામ કરીને જાય છે.

ચૈત્રસુદ પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ અહીં રંગેચંગે મનાવાય છે

દર પૂનમે મોટી સંખ્યામાં માઈભક્તો અહીં દર્શન માટે આવે છે. 11 એકરમાં ફેલાયેલા આ મંદિર સાથે માઈભક્તોની અતૂટ આસ્થા રહેલી છે.