નવરાત્રીના નવમા નોરતાનું છે ખાસ મહત્વ,

નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે નવમું નોરતું છે. દેવી ભાગવત પુરાણમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે.

મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.

સાથે જ દેવી સિદ્ધિદાત્રીની પ્રતિમા અથવા તસવીર સ્થાપિત એક ચોકી પર સ્થાપિત કરો.

જો સિદ્ધિદાત્રી દેવીની પ્રતિમા નથી તો મા દુર્ગાનું ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરી શકાશે.

સાથે જ શ્રીગણેશ, વરુણ, નવગ્રહની સ્થાપના પણ કરો

ત્યારબાદ વ્રત, પૂજનનો સંકલ્પ કરો અને વૈદિક અને સપ્તશતી મંત્રોનો જાપ કરો ત્યારબાદ કન્યા પૂજન કરો.

ઘણાં લોકો આ દિવસે હવન કરતાં હોય છે.

ભવિષ્યપુરાણ અનુસાર નવરાત્રિના અંતમાં કન્યા પૂજન જરૂરી છે.

જે પણ ભક્ત સાચી ભાવનાથી માતા મહાગૌરીની ઉપાસના કરે છે

તેને પોતાના તમામ પાપ અને દોષમાંથી મુક્તિ મળી જાય છે.

સિદ્ધિદાત્રીનો અર્થ થાય છે સિદ્ધિ આપનાર.

એવામાં માતાના આ સ્વરૂપની આરાધના કરવાથી વ્યક્તિને સિદ્ધિ એટલે કે સફળતાની સાથે-સાથે જ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે.