પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધારવા માટે સિદ્ધરાજ જયસિહે ઉજ્જૈન ઉપર ચઢાઇ કરી હતી. ત્યારે ગઢમાં બિરાજમાન કાલિકા માતાજીએ મદદ કરી હતી.
અને પાટણ પધારવા નિમંત્રણ આપ્યું હતું. ત્યારે કાલિકા માતાએ કહેલું કે હું ગઢ કાલિકા છું મારા માટે ગઢ જોઈએ.
જે ગઢના કિલ્લામાંથી માતાજી સ્વયંભૂ સંપૂર્ણ મુખારવિંદ સાથે પાટણમાં પ્રગટ થયાં. ત્યારથી શ્રી કાલિકા માતા પાટણના નગરદેવી તરીકે પૂજાય છે.
જેથી ધાર્મિક રીતે આ મંદિરનું મહત્વ અનેકગણું વધારે છે.
આ મંદિરે આવવાથી દરેક વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે સાથે મનને સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય છે