જ્યાં 'શ્રદ્ધા" હોય ત્યાં પુરાવાની કોઇ જરૂર હોતી નથી' એવી લોક વાયકાઓ છે અને ભારતીયો આજે પણ બાધામાં શ્રદ્ધા ધરાવે છે.
આ ગામમાં વીર મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે અહીં માનતા રાખવાથી પથરીના દુખાવાથી છુટકારો મળે છે.
એક મહિનામાં પથરીનો દુખાવો મટી જાય છે. આપ મેળે પથરી નીકળી જાય છે.
એવુ પણ માનવામાં આવે છે કે, અહી લોકો પથરી નીકળ્યા બાદ પથરી પણ મૂકીને જાય છે
દૂરદૂરથી લોકો અહી પથરી દૂર કરવાની આશા સાથે આવે છે.
બાધા રાખી પોતાને થયેલી પથરી નીકળી જતા પાછા બાધા સ્વરૂપે આજ મંદિરમાં ચઢાવી દે છે.