નવરાત્રિનું ત્રીજુ નોરતુ, આજના દિવસે આ રીતે કરો મા ચંદ્રઘંટાની પૂજા-અર્ચના

દુર્ગા માતાના ચંદ્રઘંટા રૂપની ત્રીજા નોરતે પૂજા કરવામાં આવે છે. માતાનું આ ત્રીજું રૂપ રાક્ષસોના વધ કરવા માટે ઓળખવામાં આવે છે.

દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે.

આ ચક્રથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે.

નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે.

આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે. આ દિવસે સાધકનુ મન મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે.

મહત્વનું છે કે, ત્રીજા નોરતે આદ્યશક્તિના ત્રીજા સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે

દેવી ચંદ્રઘંટાના મસ્તક પર રત્નજડિત મુકુટ છે જેના પર અર્ધચંદ્રમાની આકૃતિ જોવા મળે છે અને તેમાં એક ઘંટી લટકે છે.

પોતાના આ અદભૂત મુકુટના કારણે દેવી પોતે ચંદ્રઘંટાના નામે ઓળખાય છે.

મા ચંદ્રઘંટાનુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમની દસ ભુજાઓ છે અને દસેય ભુજાઓમાં અસ્ત્ર-શસ્ત્ર છે.

તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુધ્ધને માટે તૈયાર રહેવાની છે.

નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટની પૂજા માટે ખાસ લાલ રંગના ફૂલો ચઢાવવામાં આવે છે. આ સાથે ફળમાં પણ લાલ કલરના ફળનો ભોગ ચઢાવવામાં આવે છે.

આ દરમિયાન મંત્ર પઢતા સમયે મંદિરની ઘંટડી જરૂર વગાડવી જોઈએ

કેમ કે ચંદ્રઘંટાની પૂજામાં ઘંટનું ખાસ મહત્વ હોય છે. ઘંટના અવાજથી ચંદ્રઘંટા પોતાના ભક્તો પર હંમેશા પોતાની કૃપા વરસાવે છે

તેમની ઉત્પતિ ધર્મની રક્ષા અને સંસારમાં અંધકાર દૂર કરવા માટે થઈ છે

માતા ચંદ્રઘંટાને દૂધ અને તેનાથી બનેલી વાનગીનો ભોગ ચઢાવવો અને તેનું દાન પણ કરવું.