માતા દુર્ગાના આ પર્વમા માનતા અને પરંપરા પ્રમાણે ઘેર ઘેર વિવિધ ભાતના તૈયાર કરેલા શુકનના કોડિયા અને નવરાત્રીમાં માતાજીના ગરબાનું પણ અનેરું મહત્વ છે
તેનું રંગ રોગાન કરી અવનવી ડીઝાઇનમા દુકાનો માં મોટાપાયે તૈયાર કરે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં આકર્ષક લગતા ચાઇનીઝ કોડિયા આવી જતા આપણા કારીગરોની મૂળભૂત હસ્ત કળા પર ફટકો પડ્યો છે.
નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણી જૂની છે. ગરબાની શરૂઆત સૌપ્રથમ આપણા ગુજરાતથી થઈ હતી.
એ પછી રાજસ્થાનમાં ગરબા રમવાની શરૂઆત થઈ હતી
ગરબાને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ગરબા રમીને ભક્તો મા દુર્ગાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે
ગરબા આ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે ગર્ભનો દીવો.પૌરાણિક માન્યતા અનુસાર ગર્ભ દીપ એ સ્ત્રીના ગર્ભની સર્જન શક્તિનું પ્રતીક છે
ગર્ભદીપની સ્થાપના સાથે મહિલાઓ રંગબેરંગી વસ્ત્રો પહેરે છે અને માતા દુર્ગાની સામે ગરબા નૃત્ય કરે છે.