તુંગનાથ મંદિર જવા માટે એક પ્રકારે હરિદ્વાર અને ઋષિકેશ જ આ યાત્રાનો પ્રથમ પડાવ હોય છે.
આ પૈકી એક માર્ગ હરિદ્વારથી ગોપેશ્વર થઈ ચોપતા 270 કિમી અંતરનો છે અને બીજો માર્ગ હરિદ્વારથી ઉખીમઠ થઈ ચોપતા સુધીનો 220 કિમી અંતર કાપી જઈ શકાય છે.
આ મંદિર સમુદ્રની સપાટીથી આશરે 3,680 મીટર (12,074 ફૂટ) ની ઉંચાઈએ છે એટલે કે તે વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલું મંદિર છે.
તુંગનાથ મંદિર દુનિયા સૌથી પ્રાચીન મંદિર પૈકી એક મંદિર છે અને તે 5000 વર્ષ જૂનું મંદિર છે.
ગ્રેનાઈટ પથ્થરોથી બનેલું આ ભવ્ય મંદિરને જોવા હજારોની સંખ્યામાં તીર્થયાત્રી અહીં આવે છે.
તુંગનાથ મંદિરથી આશરે 1.5 કિમી આગળ ચંદ્રશિલા નામના દિવ્ય પર્વતની શિખર આવેલી છે, જેને તમારે ચોક્કસપણે મુલાકાત લેવી જોઈએ.
પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થતી હોવાથી વધુ જોખમી સ્થિતિ હોય છે.
માટે અહીં 927 ફૂટનું સીધુ ચઢાણ ચડવું પડશે, યાત્રીઓએ ઓક્સિજનની અછતનો અહેસાસ થશે.