આ છે ભારતનો એક માત્ર સળગતો જ્વાળામુખી,

આ જ્વાળામુખી છે બેરન આઇલેન્ડ જ્વાળામુખી, જે અંદામાન-નિકોબાર ટાપુઓના પૂર્વ ભાગમાં છે.

આ જ્વાળામુખી અંદામાનની રાજધાની પોર્ટ બ્લેરથી આશરે એક હજાર કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં છે

લગભગ ત્રણ કિમીમાં ફેલાયેલો બેરન આઇલેન્ડ જ્વાળામુખીની આસપાસ કોઈ હરિયાળી અથવા કોઈ વસતી કે પછી કોઈ પણ જીવંત પ્રાણી પણ નથી

એ જ કારણ છે કે આ ભાગને બેરન એટલે કે બંજર નામ આપવામાં આવ્યું.

સૌપ્રથમ વર્ષ 1787માં આ જ્વાળામુખીમાંથી ધૂમાડા અને લાવા નીકળતો જોવા મળ્યો હતો,

ત્યારથી અત્યાર સુધી 11 વખત જ્વાળામુખી ફાટ્યો છે.

આ જ કારણ છે કે તેની આસપાસ પણ જવા માટે ટાપુઓના વન-વિભાગથી વિશેષ પરવાનગી લેવી પડે છે.

સુનામીના સમયે પણ આ જ્વાળામુખી સતત ધવકતો રહ્યો હતો

જેના કારણે વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે પૃથ્વીની ગર્ભાશયની અંદર કોઈ પણ પ્રકારની હલચલથી જ્વાળામુખી ફાટે છે.

જિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા સેટેલાઈટ દ્વારા સતત આ જ્વાળામુખી પર દેખરેખ રાખવામાં આવે છે.

તેનાં દ્વારા પૃથ્વીની અંદરની હલચલ રેકોર્ડિંગમાં પણ મદદ મળે છે.

સાથે ઈસરો પણ બેરન આઇલેન્ડમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન જોઈ રહ્યું છે.

આશા છે કે તેની આકૃતિ, અંતર અને લાવાની વહેવાની દિશાથી ભવિષ્યમાં કુદરતી કટોકટીની પણ પહેલા જ સુચના મળી શકે છે