કિડની અને લીવર માટે ફાયદાકારક
શેરડીના રસનું સેવન કરવાથી પેશાબની બળતરામાં રાહત મળે છે અને કિડની સ્વસ્થ રહે છે.
કુદરતી ફળોના રસથી અનેક જટિલ રોગોનો ઈલાજ શક્ય છે. શેરડીનો પણ એવા જ કુદરતી ફળમાં સમાવેશ થાય છે
શેરડીનો રસ વિટામિન્સ અને મિનરલ્સનો સારો સ્ત્રોત છે. કેલરી ઉપરાંત આ રસમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને મેગ્નેશિયમ પણ હોય છે.
શરીર શેરડીના રસનું ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. પરિણામે શેરડીનો રસ પીવાથી શરીરમાં એનર્જી વધે છે.
શેરડીનો રસ લીવર માટે ફાયદાકારક છે. કમળાના દર્દીઓને ઝડપથી સાજા થવા માટે શેરડીના રસનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
તેમાં રહેલું કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત રાખે છે. શેરડીના રસમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ વિવિધ ચેપનું જોખમ ઘટાડે છે
આ શેરડીનો રસ પાચન સંબંધી વિકૃતિઓને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. પરંતુ ડાયાબિટીસ કે સુગરના દર્દીઓએ શેરડીના રસ પીવાનું ટાળવું જોઈએ.