પ્રોટિન-વિટામિનથી ભરપૂર છે આ સુપરફૂડ,

વહેલી સવારે કરજો સેવન, શિયાળામાંં રહેશો તંદુરસ્ત

સવારે કરેલો નાસ્તો શરીરને ઉર્જાવાન બનાવે છે.

નાસ્તામાં અંકુરિત અનાજ એટલે કે ફણગાવેલા કઠોળનું સેવન કરવું જોઈએ. તે શરીરને એનર્જી આપવા માટે ફાયદાકારક છે.

તે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.

તે ઊર્જા અને વિટામિન્સની ઉણપ પૂરી કરવા માટે એક ઉત્તમ વિકલ્પ છે, તેમાં વિટામિન્સ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટો છે.

ફણગાવેલા કઠોળ અને શાકભાજીનું સેવન આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે

તે પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરે છે. ફાઈબરની ભરપૂર માત્રાને કારણે તે પેટ સંબંધિત સમસ્યાઓ રામબાણ ઈલાજ છે

તેનું સેવન કરવાથી વાળની ​​સમસ્યામાં પણ રાહત મળે છે.

ફણગાવેલા ચણામાં એન્ટિઓક્સિડન્ટ્સ, એન્થોસાયનિન્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

તેના નિયમિત સેવનથી રક્તવાહિનીઓ સ્વસ્થ રહે છે,

ઓક્સિડેટીવ તણાવ ઓછો થાય છે અને હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.