આ મંદિર ગુજરાતના ભરુચ જિલ્લામાં અરબ સાગરમાં સ્થિત છે
સમુદ્રમાં જ્યારે ભરતી આવે છે ત્યારે સમગ્ર મંદિર જળમગ્ન થઈ જાય છે. અને થોડી વાર પછી ફરી મંદિર દ્રશ્યમાન થાય છે.
મંદિરમાં રહેલ શિવલિંગની ઉંચાઈ 4 ફૂટ છે. જ્યારે તેનો વ્યાસ 2 ફૂટ છે. આ મંદિરમાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે.
કહેવામાં આવે છે કે, આ મંદિર કોઈના પ્રાયશ્ચિતનું પરિણામ છે,જેનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ મળે છે. આ જ કારણે તે ગાયબ થઈ જાય છે.
મહીસંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ હોવાની માન્યતા પ્રવર્તે છે.