આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ છે
1947ના રોજ બ્રિટિશ અંગ્રેજોની લગભગ 150 વર્ષની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી
દર વર્ષે 15 ઓગસ્ટે સરકારી ઈમારતો પર ત્રિરંગો ધ્વજ ફરકાવવામાં આવે છે અને રોશની કરવામાં આવે છે
દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે
પરેડ અને તસ્વીરો સ્વતંત્રતા સંગ્રામ અને ભારતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાના દ્રશ્યો દર્શાવે છે.
દેશ પ્રત્યેની નિષ્ઠાના પ્રતીક માટે વિવિધ કદના રાષ્ટ્રધ્વજનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે.