શક્તિની સાધના સાથે જોડાયેલા આ પાવન પર્વનાં સાતમાં નોરતે દેવી દુર્ગાનું સ્વરૂપ મહાકાળીનું પૂજન કરવામાં આવે છે.
ખુલ્લા કેશ અને કાળા રંગનું શરીર ધારણ કરેલ દેવી કાળીનાં સ્વરૂપને જોઈને આસુરી શક્તિઓ કાંપી ઊઠે છે.
તેમના ચાર હાથ છે. જેમાં એક હાથમાં કટાર અને એક હાથમાં લોખંડનો કાંટો ધારણ કરેલો છે. આ ઉપરાંત તેમના બીજા બે હાથ વરમુદ્રા અને અભયમુદ્રામાં છે.
મહાકાળીનાં પૂજનની વિધિ: મહાકાળીનું પૂજન કરવા માટે સાધકે તન અને મનથી પવિત્ર થઈને દેવી કાળીની પ્રતિમા અથવા ચિત્રને ગંગાજળથી સ્નાન કરાવવું.
મહાકાળીને ગોળ અથવા શીરાનો ભોગ લગાડવો.
કથા બાદ દેવીની પૂજા કરવા માટે મંત્રોનો જાપ કરવો.
અને થયેલ ભૂલ-ચૂકની માફી માંગવી.