હેવી ગ્રેવિટી અને ગરમ પાણી કુંડ ઉપજાવે છે કુતુહુલ
તુલશીશ્યામ અમરેલી થી ૪૫ કિમી દુર અને જુનાગઢ થી ૧૨૩ કિમી ઉના તાલુકામાં આવેલું છે. તુલશીશ્યામ શ્રી કૃષ્ણના શામળિયા સ્વરૂપનું મંદિર છે.
અહી આવતા ધમ્રિક યાત્રાળુઓ પહેલા અહી સ્નાન કરે છે અને પછી જ મંદિર માં પ્રવેશ કરે છે
સલ્ફર સક્રિય તત્વ છે જેના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી ગરમ થાય છે એના કારણે જ કુંડમાં સ્ફૂરતા પાણીના ઝરા ગરમ હોય છે .
અહી જમીનમાં એટલું ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ હોવાના કારણે અહીથી પસાર થતી ગાડીને જકડી રાખે છે. જે અહી આવતા પ્રવાસીઓ માટે રહસ્યમય ઘટના અને અનુભવ થાય છે.
પરંતુ વન વિભાગની પરવાનગી લઇ સવારથી સાંજ સુધી જ આ જંગલ માં આવ જા કરી શકાય કારણકે સાંજ પછી અહી સિંહોની અવર જવર વધુ થતી હોય છે .
ધાર્મિક સાથે પ્રકુતિ અને વિજ્ઞાનનો આ સમન્વય દુનિયમાં કદાચ બીજે ક્યાય જોવા નહી મળે.