આ વાનગીને મહારાષ્ટ્રનું બર્ગર પણ કહી શકાય છે.
આ વડાપાવમાં વપરાતાં વડાં એટલે બટેટાવડાં નહીં કે મેદુવડાં
દાદરના અશોક વૈદ્યને મોટાભાગે તેની આવૃત્તિ માટે યશ અપાય છે, જેમણે ૧૯૬૬માં દાદર સ્ટેશનની બહાર વડાપાવ વેચવાનું શરૂ કર્યું હતું
બાફેલા બટેટાને મસળી, તેમાં લીલું મરચું, કોથમીર, આદુ, હળદર વગેરે મિશ્ર કરી. તેમાં મીઠા લીમડા, રાઈ, હિંગ, અડદની દાળ વગેરેનો વઘાર કરવામાં આવે છે
આ પાંવને વચ્ચેથી કાપીને તેમાં લસણની સૂકી ચટણી કે અન્ય કોઈ ચટણી લગાડી, તેમાં વડું મૂકી ખવાય છે.