વૈધનાથ એ ભારતમાં આવેલા શિવજીના બાર જ્યોતિર્લિંગ પૈકિનું એક છે.

તેને વૈધનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ મંદિર ઝારખંડના સંથાલ પરગણામાં આવેલું છે.

પૂર્વ રેલવેના જસીડી સ્ટેશનથી એક બ્રાન્ચ લાઈન જાય છે, જેના પર તે આવેલું છે

મંદિરની પાસે એક તળાવ છે અને ત્યાં ધર્મશાળા છે

અહીંનાં જળવાયુથી કોઢ, રક્તપિત્ત વગેરે મટી જાય છે. તેથી યાત્રિકો દૂર દૂરથી કાવડમાં જળ લાવીને વૈજનાથ પર ચઢાવે છે.

12 જ્યોતિર્લિંગોમાં નવમું સ્થાન વૈધનાથ મહાદેવનું છે

વૈધનાથધામ મંદિર પરિસરમાં કુલ 22 જેટલાં મંદિરો આવેલા છે. આ તમામ મંદિરોને સફેદ રંગથી રંગવામાં આવ્યાં છે

વૈધનાથ ધામની સ્થાપના સતયુગમાં થઈ હોવાનું માનવામાં આવે છે.

એક માન્યતા અનુસાર શ્રીવિષ્ણુના વૈજુ નામ પરથી પ્રભુ વૈજનાથના નામે પ્રસિદ્ધ થયા.