પાટણ સાક્ષી છે એક એવી ઘટનાનું કે જેણે જનહિત માટે બલિદાન આપનાર વીરપુરુષે બલિદાનનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું
તે સમયે ફિલ્ટરેશન પ્લાન્ટનું કામ કરતા આધુનિક તકનીકથી બનાવેલા આ સરોવરમાં નિર્માણ બાદ તેમાં પાણી જ ન ભરાયું.
તેમણે પંડિતો આગળ સમગ્ર વાત મૂકતાં સતી જસમા ઓડણનો શાપ તેની પાછળ કારણભૂત હોવાનું માલૂમ પડ્યું.
આખાય રાજ્યમાં ચાલી રહેલી તપાસમાં ધોળકા પાસેથી એક બત્રીસ લક્ષણો પુરૂષ મળી આવ્યો તે મેઘમાયા.
સિદ્ધરાજ જયસિંહે વિર મેઘમાયાના ગૌરવગાન માટે સહસ્ત્રલિંગ સરોવર પાસે આવેલી ટેકરી પર તેમના સ્મારકનું નિર્માણ પણ કરાવ્યું.
વીર મેઘમાયાની શહાદતથી દરેક સમાજના લોકોને પાણી ઉપલબ્ધ બન્યું.