ઉનાળાની સીઝન માં બપોરના સમયે ફ્રૂટ-ડિશમાં તરબૂચનો સમાવેશ કરવો બેસ્ટ ગણાય છે.
એ પિત્ત ઘટાડે છે, કફ કરે છે અને બળતરા મટાડે છે.
તરબૂચમાં ફાઈબર અને પાણીનું વધુ પ્રમાણ હોવાને લીધે તે શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે.
અસ્થમા, ડાયાબિટીસ, આંતરડાનું કેન્સર જેવી કેટલીય બીમારીઓ સામે તરબૂચ ખાવાથી રક્ષણ મળે છે.
શરીરના પાચનતંત્રને પણ તરબૂચ મજબૂત બનાવે છે.