આંખો આવવી એટલે શું? તેનાથી બચવા શું કરવું?

ગુજરાતમાં હાલ આ ઋતુમાં કંજેંક્ટિવાઇટિસ અથવા ‘આંખો આવવા’ની ચેપી બીમારી વધુ જોવા મળી રહી છે.

કંજેંક્ટિવાઇટિસની બીમારી વાઇરસ, બૅક્ટેરિયા કે કોઈક ઍલર્જીના કારણે થઈ શકે છે.

વાઇરસ અથવા બૅક્ટેરિયાને કારણે લાગેલો ચેપ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાઈ શકે છે

ક્યારેક ચોક્કસ પ્રકારનાં રસાયણોને કારણે પણ આંખમાં ચળ (ખંજવાળ) આવે છે.

આ ચળને ઘટાડવા માટે આંખને ચોખ્ખા પાણી ધોવી જોઈએ.

ટાળવા માટે શું કરવું?

જ્યારે આ લક્ષણો જણાય તો આંખોને ચોળવી નહીં અથવા આંખોને હાથ ન અડાડવો.

આંખોને સ્વચ્છ ટિસ્યુ પેપર અથવા ચોખ્ખા રૂમાલથી લૂછો.

ઘાટા રંગના ચશ્મા પહેરવાથી આ લક્ષણોમાં કંઈક રાહત મળી શકે છે.

વાઇરસને કારણે લાગેલા ચેપની સમસ્યા સામાન્ય રીતે એક અથવા બે સપ્તાહમાં ઘટી જાય છે.

કૉન્ટેક્ટ લેન્સ પહેરતાં લોકોએ તેને પહેરવાનું તાત્કાલિક બંધ કરી દેવું જોઈએ.

જો ચેપ બૅક્ટેરિયાને કારણે લાગેલો હોય તો,

ચેપની ગંભીરતા પ્રમાણે ચોક્કસ દિવસો સુધી યોગ્ય માત્રામાં યોગ્ય દવા લેવી જરૂરી છે.