આ માસને હિન્દુ આસ્થાનું પ્રતિક પણ માનવામાં આવે છે કારણ કે આ મહિનામાં હિન્દુઓ ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે
દરેક જગ્યાએ મંદિરોમાં લોકોની ભીડ, ભજન-કીર્તનનો નાદ, મંત્રોચ્ચાર અને મોટા મેળાઓનું આયોજન આ મહિનાનું મહત્વ વધારે છે.
શ્રાવણ નક્ષત્રની પૂર્ણિમા આ મહિનામાં આવે છે, તેથી આ મહિનાને શ્રાવણ કહેવામાં આવે છે.
શ્રાવણ મહિનો માત્ર ભક્તિ માટે જ પ્રસિદ્ધ નથી, પરંતુ આ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ હિંદુ તહેવારો પણ આવે છે.
રક્ષાબંધન, નાગ પંચમી અને શીતળા સાતમ છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના 7 દિવસ પછી અષ્ટમીના દિવસે ઉજવવામાં આવે છે.